
સુરત શહેર માં ૭૫લાખ ની વસ્તી ધરાવતા રેલવે સ્ટેશન ઘણું નાનું છે. માત્ર ચાર પ્લેટફોર્મ ધરાવતા સુરત રેલવે સ્ટેશન પર દરરોજ દોઢ થી પોણા બે લાખ લોકોની અવર જવર રહે છે. સુરત રેલવે સ્ટેશન કોઈ સુવિધા આપવાની વાત આવે એટલે રેલવે તંત્ર જુગડમાં લાગી જાય છે. હાલ માં વેકેશન ને લઈને પ્રવાસીઓની સંખ્યા વધી શકે તેમ છે. તેના માટે રેલવે સ્ટેશન બહાર એક કાયમી ટેન્ટ બનાવવામાં આવી રહ્યો છે. જેથી પ્રવાસીઓ રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ પર ટેન્ટ મા રહેશે અને ટ્રેન આવવાના થોડા સમય પહેલા તેમને પ્લેટફોર્મ પર મોકલવામાં આવશે. મેનેજર મુકેશ સિંગે જણાવ્યુ કે અમુક ટ્રેનના પ્રવાસીઓને સીધા પ્લેટફોર્મ પર આવવાને બદલે તેમને પહેલા ટેન્ટ મા રોકવું પડશે. ટ્રેનનું અનાઉંન્શમેન્ટ કરવામાં આવશે ત્યાબાદ જે તે ટ્રેનના પ્રવાસીઓને પ્લેટફોર્મ પર જવા દેવામાં આવશે.